મે 14, 2014

કાન્હા બોલે નાં....




કાન્હા બોલે ના.... કાન્હા બોલે ના...
પૂછું બાર બાર બાર કાન્હા બોલે ના...
ક્યા હૈ પ્રીત, ક્યા હૈ પ્યાર...
કાન્હા બોલે ના...


હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયનું વાસ્તવિક અને કલાત્મક પાસું એટલે મુસ્લિમ કવિઓએ રચેલા કૃષ્ણભક્તિના ગીતો.
ઈતિહાસમાં જરા ડૂબકી લગાવીએ તો, સમ્રાટ અકબરના નવરત્નો પૈકી એક એવા, નવાબ અબ્દુલ રહીમ ખાન એ ખાના, દિલ્હીના શાહી ખાનદાનના સૈયદ ઈબ્રાહીમ, કે જે પાછળથી રસખાન તરીકે ઓળખાયા તે, આગ્રાના શાયર મિયા નઝીર અકબરાબાદી - આ બધા શાયરોએ કૃષ્ણપ્રેમના રંગે  રંગાઈને અદ્ભૂત કહી શકાય એવી એવી ભક્તિરચનાઓ આપી. તો અઢારમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા મુસ્લિમ કવિ રાજેએ રચેલી મોટાભાગની કૃતિઓ કૃષ્ણભક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિના રંગે રંગાયેલી છે.

આ જ પરંપરા કદાચ હિંદી ફિલ્મી શાયરોમાં પણ ઊતરી હોય એવું લાગે છે. જાંનિસાર અખ્તર સાહેબે લખેલું આ ગીત સાંભળીએ ત્યારે આ વાતનો ખ્યાલ આવે. લતાજી અને મન્ના ડેએ અત્યંત તાજગીભર્યા અવાજે ગાયેલું આ ગીત, આમ તો બાસુ ચેટર્જીની 'સંગત' નામની અનરિલીઝ્ડ ફિલ્મનું છે. 'રેર' કહી શકાય એવું આ ગીત યુ ટ્યૂબ પર ખાંખાખોળા કરતા હાથ લાગ્યું તો અહીં શેર કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. કજરી અને રાકેશ પાંડે જેવા અનામી કલાકારો પર ફિલ્માવાયેલું આ ગીત, શબ્દ, સૂર અને અર્થ - એ ત્રણેય પ્રકારે અનન્ય છે. સલિલ ચૌધરીએ વાયોલીન, પિયાનો, સિતાર અને બાંસુરીના મનમોહક સૂરોથી સજાવેલા આ ગીતની વિશિષ્ટતા એ છે કે રાધા-કૃષ્ણના પ્રેમને પ્રકટ કરતા આ ગીતની તરજ પાશ્ચાત્ય  છે.

http://m.youtube.com/watch?v=eoeB2vCEbWU&desktop_uri=%2Fwatch%3Fv%3DeoeB2vCEbWU

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો