જૂન 20, 2014

હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી... તુષાર શુક્લ




એંશીના દસકાના પાછળના ભાગે આકાશવાણી (ગુજરાતી) પર એક કાર્યક્રમ ખુબ જ પ્રચલિત થયેલો. એનું નામ 'શાણાભાઈ-શકરાભાઈ'....

સાંપ્રત ઘટનાઓ અને સમસ્યાઓ વિષે નો એ કાર્યક્રમ રમુજી અને કટાક્ષપૂર્ણ સંવાદોને કારણે દરેક ઉંમરની વ્યક્તિઓમાં પ્રિય હતો. આ કાર્યક્રમનું સંચાલન ત્યારે શ્રી તુષાર શુક્લ કરતાં.

આજ અનુભવના ભાથા સાથે આજે તેઓ ગુજરાતી સાહિત્ય અને સંગીતના વિવિધ કાર્યક્રમોનું ઉદબોધક તરીકે ગુજરાતભરમાં સફળ સંચાલન કરે છે. સાથે સાથે તેઓ ઉમદા કોટિનું કાવ્યસર્જન પણ કરે છે. એમના કાવ્યોમાં શબ્દો અને લયનો સહજ તાલમેલ જોવા મળે છે જે પ્રસ્તુત કાવ્યને રૂપકુમાર રાઠોડ-સાધના સરગમના સ્વરોમાં  સાંભળશો ત્યારે એમની આ કાબેલિયત જોઈ શકશો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો