દરેક માણસ બે રીતે વિચારતો હોય છે. એક દિમાગથી અને બીજું દિલથી. અને એમના બંનેની વચ્ચે સતત ઘર્ષણ થયા જ કરે. એવા જ વિચારો ને રજુ કરતુ ગુલઝારસા'બ નું આ ગીત દિલ અને દિમાગ બન્નેને સ્પર્શી ગયું! ૧૯૬૬માં રજુ થયેલી ફિલ્મ ' સન્નાટા' માટે એમણે લખેલું ગીત એમનું કવિત્વ એ ઉંમરે પણ કેવું પુખ્ત હતું એ દર્શાવે છે.
દિમાગ જ્યારે ખાતરીપૂર્વક નક્કી કરી લે છે કે 'પિયુના મિલનની કોઈ જ શક્યતા નથી.' ત્યારે દિલ હાવી થઇ જાય અને એટલી જ ખાતરી થી જાહેર કરે કે 'હોય કાંઈ? પિયુ ચોક્કસ મળશે, તું જોજે!'
https://www.youtube.com/watch?v=r-TYQJBVsoY
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો