મુંબઈ જેવા કદી ન ઊંઘતા શહેરમાં વસનાર કવિ જયારે હૈયામાં ટહુકતા મોરની કવિતા લખે ત્યારે એ કવિતા હૈયા સોંસરી જ ઉતરી જાય એવી જ હોય ને? સુરેશ દલાલે જેને 'ઘૂંટીને લખનાર' કવિ કહ્યા છે એવા હિતેન આનંદપરાની કવિતામાં છલકતો પ્રેમ યુવાન દિલને જેટલો સ્પર્શે છે એટલોજ વૃદ્ધને! એમની કવિતાઓમાં અદભૂત વૈવિધ્ય અને ભાષાની ભીનાશ જોવા મળે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો