જગજીત સિંહ અને જાવેદ અખ્તર.... આ બંને નામ જબાન પર આવતા જ દિલોદિમાગ પર જાદૂ છવાયા વિના ન જ રહે. છેક એંસીના દાયકામાં આવેલી ફિલ્મ ‘સાથ સાથ’ના ગીતોમાં આ જોડીએ વિખેરેલો જાદૂ હજુ આટલા વર્ષે પણ એવો ને એવો બરકરાર છે. સંગીતકાર કુલદીપ સિંહની રચેલી ધૂનો પર જાવેદ અખ્તરે લખેલા અને જગજીતસિંહજીએ ગાયેલા એ અમર ગીતો ભલા કોણ વિસારી શકે? યે તેરા ઘર યે મેરા ઘર... તુમ કો દેખા તો યે ખયાલ આયા.... પ્યાર મુજ સે જો કિયા તુમને.... જો કે સાથ સાથ અગાઉ અર્થ અને પ્રેમગીત જેવી ફિલ્મોમાં પોતાના અવાજનો જાદૂ વિખેરી ચૂકેલા જગજીત સિંહે સાથ સાથ બાદ ફિલ્મી દુનિયાને એક તરફ રાખી દઈને ફરી એકવાર ગઝલની દુનિયાનો રુખ કરી લીધો.
જગજીત સિંહની એક ખૂબી એ હતી કે એમણે જુદા જુદા અનેક નામી અનામી શાયરોની બેહતરીન રચનાઓ ચૂંટીને પોતાના અવાજમાં ગાઈને જગમશહૂર બનાવી દીધી. જાવેદ અખ્તર સાથે સાથ સાથમાં જોડી જમાવ્યા બાદ છેક ૧૯૯૮મા આ જોડીએ ફરી એકવાર સાથે કામ કર્યું. જાવેદ અખ્તરની આઠ ગઝલોને જગજીતસિંહએ પોતાના મખમલી અવાજમાં ગાઈ. ‘સિલસિલે’ આલ્બમમાં સમાવાયેલી આ બધી જ રચનાઓ બેશક બહેતરીન છે. પણ આ રચના મારા દિલની અત્યંત નજીક છે.
कभी यूँ भी तो हो
दरिया का साहिल हो
पूरे चाँद की रात हो
और तुम आओ
कभी यूँ भी तो हो...
જગજીત સિંહના કંઠે આ સદાબહાર રચના અહીં સાંભળી શકશો...
https://www.youtube.com/watch?v=DXsPd6wLk4g
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો