સપ્ટેમ્બર 24, 2014

પ્રણયવેદના



એવું કેમ બનતું હશે કે પ્રેમમાં મિલનના આનંદને બદલે વિરહની વ્યથા જ વધુ અનુભવાતી હોય છે? જીવનમાં કોઈ વેળાએ કોઈ સાવ અજાણી વ્યક્તિ જોડે અચાનક જ મુલાકાત થઈ જાય અને પછી આ ઓળખાણ ગાઢ આત્મીયતામાં બદલાઈ જાય.... જાણે કે આ વ્યક્તિ આપણું પોતાનું સ્વજન જ ન હોય? પરંતુ પરસ્પર ઊંડી લાગણી હોવા છતાં આ વ્યક્તિને મળી શકાતું નથી. ‌સૂક્ષ્મ રીતે સાવ નજીક હોવા છતાં સ્થૂળ રીતે તો દૂર દૂર જ રહેવું પડે છે..આવા પ્રેમીજનોની પ્રણયવેદના પન્ના નાયક જેવા સંવેદનશીલ કવિયત્રી અત્યંત લાઘવમાં સચોટ રીતે આલેખે છે....

આપણે
આટલાં નજીક
છતાંય
જિંદગીભર
એકબીજાને જોયા કરીએ છે એ રીતે
જાણે
હું સ્ટેશન પર
અને
તું
પસાર થતી ટ્રેનનો મુસાફર......

~ પન્ના નાયક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો